Tuesday, May 12, 2009

ઈશ્વર જે કરે છે તે સારા માટે કરે છે.

ગુણવીર નામે પરાક્રમી રાજા હતો. તેના મંત્રી સુકેતુને કારણે તેનો રાજવહીવટ સારી રીતે ચાલતો હતો. સુકેતુ શાણો, વિશ્વાસપત્ર, વફાદાર અને કુશળ હતો. તે ખૂબ શ્રધ્‍ધાળુ શિવભકત પણ હતો. તેને રાજાના ભાઈ સુખવીર વિશે શંકાઓ હતી, પણ પુરાવાને અભાવે તે કંઈ બોલતો નહીં. એક દિવસ અકસ્‍માતથી રાજા ગુણવીરની આંગળી ચિરાઈ ગઈ. ખૂબ લોહી વહ્યું. તરત જ દવાનો લેપ લગાડી આંગળીએ પાટો બાંધ્‍યો. આ આપત્તિ માટે સુકેતુએ કહ્યું, ‘‘જે થાય તે સારા માટે’’ રાજા ચિડાઈ ગયા. તેમની પીડા માટે મંત્રી આવું બોલ્‍યા તે એમને ગમ્‍યું નહીં. તેમણે મંત્રી સુકેતુને જેલમાં પૂરવાનો હુકમ કર્યો. જેલમાં જતાં મંત્રી સુકેતુ રાજાને સૂચવતા ગયાઃ ‘‘તમારા ભાઈ સુખવીરથી ચેતતા રહેજો.’’ પોતાના ભાઈ વિશે આવી વાણીથી રાજા વધારે ચિડાયા.
એક- બે દિવસ પછી રાજા શિકારે ઊપડ્યા. સુખવીરે પસંદ કરેલા સૈનિકો સાથે ભાઈ સુખવીર પણ જોડાયો હતો.? એક પડાવ નાખી, આસપાસ વાડ બાંધી બધા રહ્યા. રાજા શિકાર માટે નીકળ્યા. રાત પડાવ ગઈ. રસ્‍તો જડતો નહોતો. એમને થયું કે ભાઈ અને સૈનિકો તેમને શોધતા શોધતા આવશે, પણ કોઈ આવ્‍યું નહીં. થાકીને રાજા સૂઈ ગયા. ત્‍યાં ફરતલ ફરતલ વનનો રાજા સિંહ આવી ચડ્યો. સિંહ રાજાને સૂંઘવા લાગ્‍યો. તેની ઘરઘરાટીથી રાજા જાગી તો ગયા, પણ કાંઈ થઈ શકે તેમ નહોતું એટલે ઊંઘવાનો ડલળ કરી પડી રહ્યા. સિંહે રાજાની આંગળી સૂંઘી ત્‍યારે લોહીની ગંધ આવી ઘાયલ થયેલા કે બીજાએ ઈજા કરેલા ભક્ષ્‍યને સિંહે ખાતો નથી. એટલે લોહી સૂંઘી સિંહ ચાલ્‍યો ગયો. રાજાએ આ બધું જોયું. મંત્રીએ આંગળીની ઈજા વિશે કહેલું સાચું પડ્યું. સવારે એ પડાવનો તાલ બહારથી જ સાંભળતા રહ્યા. અંદર સુખવીર સૈનિકો સાથે રાજાની ગેરહાજરીમાં રાજધાની પર હુમલો કરવાની યોજના કરતો હતો. રાજા તરત જ પોતે એકલા રાજધાની પહોંચ્‍યા. બીજા સૈનિકો સાથે તેમણે પડાવ પર હુમલો કર્યો. સુખવીર અને સૈનિકોને કેદ કર્યા.
રાજાએ મંત્રી સુકેતુને મુકત કર્યા. તેમનાં કહાપણનાં વખાણ કર્યા ને ઈનામ આપ્‍યું. પછી મંત્રીને પૂછયું, ‘‘મારી આંગળી ચિરાઈ તે તો સારા માટે સાબિત થયું પણ તમારો જેલવાસ કેવી રીતે સારા માટે કહેવાય?’’ મંત્રીએ જવાબ આપ્‍યોઃ ‘‘મારા ગામમાં મારે? શિવમંદિર બાંધવું હતું, પણ પૈસા નહોતા. હવે તમે આપેલા ઈનામમાંથી મંદિર બનાવીશ. ખરેખર ઈશ્વર જે કરે છે તે સારા માટે કરે છે.’’ ગુણવીર નામે પરાક્રમી રાજા હતો. તેના મંત્રી સુકેતુને કારણે તેનો રાજવહીવટ સારી રીતે ચાલતો હતો. સુકેતુ શાણો, વિશ્વાસપત્ર, વફાદાર અને કુશળ હતો. તે ખૂબ શ્રધ્‍ધાળુ શિવભકત પણ હતો. તેને રાજાના ભાઈ સુખવીર વિશે શંકાઓ હતી, પણ પુરાવાને અભાવે તે કંઈ બોલતો નહીં. એક દિવસ અકસ્‍માતથી રાજા ગુણવીરની આંગળી ચિરાઈ ગઈ. ખૂબ લોહી વહ્યું. તરત જ દવાનો લેપ લગાડી આંગળીએ પાટો બાંધ્‍યો. આ આપત્તિ માટે સુકેતુએ કહ્યું, ‘‘જે થાય તે સારા માટે’’ રાજા ચિડાઈ ગયા. તેમની પીડા માટે મંત્રી આવું બોલ્‍યા તે એમને ગમ્‍યું નહીં. તેમણે મંત્રી સુકેતુને જેલમાં પૂરવાનો હુકમ કર્યો. જેલમાં જતાં મંત્રી સુકેતુ રાજાને સૂચવતા ગયાઃ ‘‘તમારા ભાઈ સુખવીરથી ચેતતા રહેજો.’’ પોતાના ભાઈ વિશે આવી વાણીથી રાજા વધારે ચિડાયા.
એક- બે દિવસ પછી રાજા શિકારે ઊપડ્યા. સુખવીરે પસંદ કરેલા સૈનિકો સાથે ભાઈ સુખવીર પણ જોડાયો હતો.? એક પડાવ નાખી, આસપાસ વાડ બાંધી બધા રહ્યા. રાજા શિકાર માટે નીકળ્યા. રાત પડાવ ગઈ. રસ્‍તો જડતો નહોતો. એમને થયું કે ભાઈ અને સૈનિકો તેમને શોધતા શોધતા આવશે, પણ કોઈ આવ્‍યું નહીં. થાકીને રાજા સૂઈ ગયા. ત્‍યાં ફરતલ ફરતલ વનનો રાજા સિંહ આવી ચડ્યો. સિંહ રાજાને સૂંઘવા લાગ્‍યો. તેની ઘરઘરાટીથી રાજા જાગી તો ગયા, પણ કાંઈ થઈ શકે તેમ નહોતું એટલે ઊંઘવાનો ડલળ કરી પડી રહ્યા. સિંહે રાજાની આંગળી સૂંઘી ત્‍યારે લોહીની ગંધ આવી ઘાયલ થયેલા કે બીજાએ ઈજા કરેલા ભક્ષ્‍યને સિંહે ખાતો નથી. એટલે લોહી સૂંઘી સિંહ ચાલ્‍યો ગયો. રાજાએ આ બધું જોયું. મંત્રીએ આંગળીની ઈજા વિશે કહેલું સાચું પડ્યું. સવારે એ પડાવનો તાલ બહારથી જ સાંભળતા રહ્યા. અંદર સુખવીર સૈનિકો સાથે રાજાની ગેરહાજરીમાં રાજધાની પર હુમલો કરવાની યોજના કરતો હતો. રાજા તરત જ પોતે એકલા રાજધાની પહોંચ્‍યા. બીજા સૈનિકો સાથે તેમણે પડાવ પર હુમલો કર્યો. સુખવીર અને સૈનિકોને કેદ કર્યા.
રાજાએ મંત્રી સુકેતુને મુકત કર્યા. તેમનાં કહાપણનાં વખાણ કર્યા ને ઈનામ આપ્‍યું. પછી મંત્રીને પૂછયું, ‘‘મારી આંગળી ચિરાઈ તે તો સારા માટે સાબિત થયું પણ તમારો જેલવાસ કેવી રીતે સારા માટે કહેવાય?’’ મંત્રીએ જવાબ આપ્‍યોઃ ‘‘મારા ગામમાં મારે? શિવમંદિર બાંધવું હતું, પણ પૈસા નહોતા. હવે તમે આપેલા ઈનામમાંથી મંદિર બનાવીશ. ખરેખર ઈશ્વર જે કરે છે તે સારા માટે કરે છે.’’

No comments:

Post a Comment