ગિરનાર પર્વત એ ગુજરાત રાજ્યના જૂનાગઢ જીલ્લામાં આવેલ પર્વતોનો સમુહ છે. તેમાંનો ઊંચામાં ઊંચો પર્વત ૯૪૫ મી. (૩૧૦૦ ફીટ) છે જે ગુજરાતનો પણ ઊંચામાં ઊંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોના બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૮,૦૦૦ પગથિયા છે.
દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે જેમાં લાખો લોકો જોડાઇ છે. દર વર્ષે ગિરનાર ચડવાની હરિફાઇ પણ ગોઠવાય છે. સ્થાનિક લોકોનો દાવો છે કે અત્યાર ઓછામાં ઓછો સમય ૪૫ મિનીટ નો નોંધાયો છે. સામાન્ય માણસને ગિરનાર ચડી પાછા આવતા ૫-૮ કલાક લાગે છે.
હીન્દુ ધર્મમા શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડાપગે ગિરનાર ના પગથીયા ચડવાથી સ્વર્ગની પ્રાપ્તી થાય છે. ગિરનાર ગુજરાતના ધાર્મિક શ્થળો માનો એક છે.જે અમદાવાદ થી ૩૨૭ કી.મી. દૂર જુનાગઢ મા આવેલ છે.
આ એક પવિત્ર સ્થળ અને હિન્દુ તથા જૈન લોકો માટે મહત્વનુ યાત્રાધામ છે.અહીં ઘણાબધા મંદિરો આવેલા છે.સુંદર હરીયાળી અને ગિરિમાળાઓ સરસ મજાનુ ધાર્મિક વાતાવરણ રચે છે.આ બધા સાથે અહીં આવેલ મુસ્લિમ ધર્મ શ્થાનકો મુસલમાન યાત્રાળુઓ ને પણ અહીં આકર્ષે છે. આમ ગિરનાર ભારતની "અનેકતા મા એકતા" નુ સચોટ ઉદાહરણ પૂરૂ પાડે છે.
Wednesday, March 18, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment